છંદ એટલે શું ?
- છંદ કવિતાનું માપ છે. અંગ્રેજીમાં એને મીટર પણ કહેવામાં આવે છે.
- સંકૃતમાં 'વૃત' શબ્દ પણ છંદ માટે વપરાય છે. વૃત એટલે વર્તુળ.
- ગુણ, રસ, શૈલી એ કાવ્યનું આંતરિક સ્વરૂપ છે. જયારે છંદ એ કાવ્યનું બાહ્યરુપ છે.
છંદ માં વાપરતા લગુ અને ગુરુ અક્ષર
- અ, ઇ , ઉ , ઋ. (આ ચાર અક્ષરો જે વર્ણમાં હોય તેને લાગુ ગણવામાં આવે છે.)
- ઈ, ઊ , એ, ઐ, ઓ, ઔ, અં, આ. (આ સ્વરો કે વર્ણમાં હોય તેને ગુરુ ગણવામાં આવે છે.)
- ક, કિ, કુ. (આને લાગુ અક્ષર કહેવાય.)
- કા, કી, કૂ, કે, કૈ, કો, કૌ, કં. (આને ગુરુ અક્ષર કહેવાય.)
અનુસ્વારનો નિયમ
તીવ્ર અનુસ્વારવાળો અક્ષર ગુરુ કહેવાય.
ઉદાહરણ - શંકા, લંકા, ગંગા, નંદ
મંદ અનુસ્વારવાળો અક્ષર લાગુ કહેવાય.
ઉદાહણ - કહું, સુંવાળું, બોલતો
જોડાક્ષરનો નિયમ
જયારે જોડાક્ષરનો થડકો આગળના અક્ષરને લાગે ત્યારે જોડાક્ષરની આગળનો અક્ષર ગુરુ બને.
ઉદાહરણ - સત્ય, નિત્ય, નિષ્ફળ, શિલ્પ, દુષ્ટ.
ક્યારે જોડાક્ષરનો થડકો આગળના અક્ષરને ન લાગે ત્યારે આગળનો અક્ષર લાગુ જ રહે છે.
ઉદાહરણ - ગળ્યું, મળ્યું, પડ્યો. (આવા અક્ષર લાગુ જ રહે.)
વિસર્ગનો નિયમ
વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે તો વિસર્ગના આગળના અક્ષરને ગુરુ ગણવો.
ઉદાહરણ - અંતઃકરણ, નિઃસંતાન, નિઃસ્વાર્થ.
વિસર્ગનો ઉચ્ચાર ન થાય ત્યારે.
ઉદાહરણ - દુઃખ.
તાલ
- લગુ અક્ષર - 1 તાલ
- ગુરુ અક્ષર - 2 તાલ
ચરણ
છંદના એક અંશને ચરણ અથવા પદ કહે છે.
ઉદાહરણ - પ્રથમ ચરણ, બીજું ચરણ (પ્રથમ પંક્તિ)
ત્રીજું ચરણ , ચોથું ચરણ (બીજી પંક્તિ)
યતિ
જયારે કવિ પંક્તિ બોલ્યા બાદ જ્યાં એટલે તેને યતિ(અટક સ્થાન) કહેવાય.
ગણ
ત્રણ અક્ષરોનો બનેલો હોય છે અને ગણની કુલ સંખ્યા 8 છે.
Read More
દ્વિરૃક્ત અને રવાનુકરી, અનુગ, નામયોગી અને કેવળપ્રયોગીની સમજૂતી
ક્રિયાપદ અને કૃદંતની સમજૂતી તેઓના પ્રકારો સહીત
નિપાતની સમજૂતી અને તેના પ્રકારો
નામનું વચન અને સર્વનામની ઉદાહરણ સાથે સમજૂતી
0 Comments