ગુજરાતના મહાપુરુષો ના નામ પર થી પૂછતાં મોસ્ટ ઈમ્પોર્ટન્ટ MCQ

mahapurusho/mahanubhavo na upname

ગુજરાતમાં થઇ ગયેલા મહાપુરુષો ના ઉપનામો વિષે પુછાતા Most IMP MCQ ની તૈયારી અહીં કરવા મળી જશે.

ઉપનામ ને અંગ્રેજી ભાષામાં Nickname પણ કહેવામાં આવે છે.

જરૂર વાંચો - શું ગુજરાત નું PSI 2022 નું પેપર લીક થઇ ગયું છે?


મહાપુરુષો ના ઉપનામો માટે મોસ્ટ imp MCQ

રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતી ના સંત તરીકે કોણ ઓળખાય છે? - મહાત્મા ગાંધી (મોહનદાસ કરમચંદ ગાંધી)

ભારતના બિસ્માર્ક કોને કહેવામાં આવેલ છે? - સરદાર વલ્લભભાઈ પટેલ / લોખંડી પુરુષ

કેમ સરદાર વલ્લભભાઈ પટેલ ને બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે? - સ્વતંત્ર ભારતના જેટલા ભી દેશી રજવાડા હતા તેનું એકત્રી કરણ નું કામ સરદાર વલ્લભભાઈ કર્યું હતું તેથી તેઓને બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતના અકબર તરીકે કોને ઓળખવામાં આવતો હતો? - મહંમદ બેગડો

ડોક્ટર ચંદુલાલ દેસાઈ ને કાયા ઉપનામે ઓળખવામાં આવતા હતા? - છોટે સરદાર

ભારતીય ઉદ્યોગ ના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવતા હતા? - જમશેદ જી ટાટા

કોને શ્વેતક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવતા હતા? - વર્ગીસ કુરિયન

ભારતીય અણુશક્તિ ના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? - ડૉક્ટર હોમી ભાભા

કોને ક્રિકેટ ના જાદુગર કહેવામાં આવતા હતા? - જામ રણજીતસિંહજી

આજના સમય માં પણ જામ રણજીતસિંહ ના નામે રણજિત ટ્રોફી ટુર્નામેન્ટ ચાલે છે.

મહિલા વિકાસ પ્રવુતિના મશાલચી કોને કહેવામાં આવતું હતું? - પુષ્પાબહેન મહેતા

ભારતની સંસદના પિતા (father of parliament) કોને કહેવામાં આવે છે? - ગણેશ વાસુદેવ માવળંકર

ગુજરાતનો અશોક તરીકે કોણ ઓળખાય છે? - કુમારપાળ

બાળકોની મુછાળી માં કોને કહેવાતું હતું ? - ગિજુભાઈ બધેકા

સાક્ષાત સરસ્વતી ના નામે કોને ઓળખવામાં આવતા હતા? - શ્રીમદ રાજચંદ્ર

ગુજરાતના આદિ કવિ તરીકે કોણ ઓળખાય છે? - નરસિંહ મહેતા

જન્મ જન્મ ની દાદી તરીકે કોણ ઓળખાતું હતું? - મીરાંબાઈ

કોને જ્ઞાનનો વડલો કહેવામાં આવતો હતો? - અખો

નિર્ભય પત્રકાર અને યુગ વિધાયક સર્જક તરીકે કોને ઓળખવામાં આવતો હતો? - નર્મદ

રાષ્ટ્રીય શાયર અને કસુંબીનો રંગ નું ગાયક તરીકે કોણ ઓળખાતું હતું? - ઝવેરચંદ મેઘાણી

ગુજરાતી સાહિત્યમાં મહાકવિ તરીકે કોણ ઓળખાય છે? - પ્રેમાનંદ

ક્યાં કવિને વિશ્વ શાંતિ નો કવિ કહેવાતું? - ઉમાશંકર જોશી

ક્યાં સાહિત્યકારને સાહિત્યજગતનો ચમત્કાર કહેવામાં આવતું? - પન્નાલાલ પટેલ

ગુજરાતી સાહિત્યમાં કવિવર તરીકે કોણ જાણીતા હતા? -ન્હાનાલાલ

સુરતાની વાડીનો મીઠો મોરલો કોને કહેવામાં આવતું? - કલાપી

ગુજરાતી સાહિત્યમાં પંડિત યુગના પુરોધા કોને કહેવામાં આવે છે? - ગોવર્ધનરામ ત્રિપાઠી

આનંદશંકર ધ્રુવ ક્યાં ઉપનામે ઓળખાતા હતા? - પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ

ચુનીલાલ આશારામ ભગત ક્યાં નામે ઓળખાતા હતા? - પૂજ્ય મોટા

ગુજરાતના કલાગુરુ નું બિરુદ કોને આપવામાં આવ્યું હતું? - રવિશંકર રાવલ

કળિયુગના ઋષિ અને મૂકસેવક તરીકે કોણે ઓળખામાં આવતા હતા? - રવિશંકર મહારાજ

નરસિંહરાવ દિવેટિયા ક્યાં ઉપનામે ઓળખાતા હતા? - સાહિત્ય દિવાકર

મહાત્મા ગાંધીએ ડુંગળી ચોર નું બિરુદ કોને અપાવ્યું હતું? - મોહનલાલ પંડ્યા

આમિર શહેરના ગરીબ ફકીર તરીકે કોને ઓળખવામાં આવતા હતા? - ઇન્દુલાલ યાજ્ઞિક

ચરોતરનું મોટી કોનું ઉપનામ હતું? - મોતીલાલ અમીન

ગુજરાતની અસ્મિતના આધપ્રવર્તક કોને કહેવામાં આવતા હતા? - રણજિતરામ વાવાભાઇ મહેતા

ગુજરાતી સાહિત્યમાં કાલિકાલસર્વજ્ઞ તરીકે પણ કોને ઓળખવામાં આવતા હતા? - હેમચંદ્રાચાર્ય

કવિ અખંડાનંદ ને શું કહેવામાં આવે છે? - જ્ઞાનની પરબ

ગુજરાત માં "શીલભદ્ર શ્રેષ્ઠી" તરીકે કોણ ઓળખાય છે? - કસ્તુરભાઈ લાલભાઈ

પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત તરીકે કોણ ઓળખાતું હતું? - પંડિત સુખલાલજી

ગુજરાતી પત્રકારત્વનું આદિપુરુષ કોને કહેવામાં આવતું હતું? - ફરદુનજી મરઝબાન

લોકાભિમુખ રાજપુરુષ તરીકે કોણ ઓળખાતું હતું? - એલેકઝાન્ડર ફોર્બ્સ

સર જમશેદજી જીજીભાઈ ને શું કહેવામાં આવતું હતું? - હિન્દના હાતિમતાઇ

Post a Comment

0 Comments