આજે આપણે માહિતી મેળવીશું ગાંધીજી ના નેતૃત્વમાં કરવામાં આવેલ દાંડી માર્ચ યાત્રા વિષે

આજે આપણે માહિતી મેળવીશું ગાંધીજી ના નેતૃત્વમાં કરવામાં આવેલ દાંડી માર્ચ યાત્રા વિષે. અહીં તમને દાંડી યાત્રા વિષે 1930 થી 2022 સુધી ની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

અહીં સમજાવવામાં આવેલ દાંડી યાત્રા ના બધા પ્રશ્નો તમને તલાટી, બિનસચિવાલય, PSI અને અન્ય ગુજરાત ની સરકારી પરીક્ષાઓ માં મદદરૂપ સાબિત થશે.


ગાંધીજી ની દાંડી માર્ચ યાત્રા MCQ

વર્ષ 2022 માં દાંડીમાર્ચ ની શરૂઆત ને કેટલા વર્ષ પૂર્ણ થયા - 92 વર્ષ

વર્ષ 2022 માં કોને "દાંડી સાઇકલ યાત્રા" ને લીલી જંડી બતાવી શરૂઆત કરાવી - અમિત શાહ

હાલમાં દાંડી સાઇકલ યાત્રા નું આયોજન કોને કર્યું છે - ગુજરાત વિદ્યાપીઠ

દાંડી સાઇકલ યાત્રા ની શરૂઆત હાલમાં ક્યાંથી થઇ હતી - કોચરબ આશ્રમ

ગાંધીજી ની દાંડી યાત્રા ની શરૂઆત ક્યાં આશ્રમ થી થઇ હતી - સાબરમતી આશ્રમ

ગાંધીજીની દાંડી યાત્રા સો પ્રથમ ક્યાં ગામ માં રાત્રી રોકાણ કર્યું - અસલાલી

અસલાલી ક્યાં જિલ્લા માં આવેલું છે - અમદાવાદ

હાલમાં દાંડી ક્યાં જિલ્લામાં આવેલું છે - નવસારી

દાંડી હેરિટેજ રૂટ ને વર્તમાન માં ક્યાં હાઇવે તરીકે ઓળખવામાં આવે છે - NH.64

દાંડીકૂચ પહેલા અંગ્રેજ સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જગ્યાથી ધરપકડ કરી - રાસ

આઝાદી ના અમૃત મહોત્સવ ક્યાં વર્ષ સુધી ચાલશે - 2023

1930 માં દાંડીકૂચ માં મહાત્મા ગાંધી સાથે કેટલા સત્યાગ્રહીઓ જોડાયા હતા - 78

દાંડીકૂચ દરમિયાન કસ્તુરબા અને અન્ય લોકો કઈ જગ્યાએથી પરત ફર્યા હતા - ચંડોળા તળાવ

"કાગડા કુતરાના મૉટે મારીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમ માં પાછો નફી ફરું" - ગાંધીજીએ આ પ્રતિજ્ઞા કઈ જગ્યા એ લીધી હતી - ભાટગામ

દાંડીકૂચ દરમિયાન પ્રથમ ક્યાં દિવસ ગાંધીજી ચાલ્યા ન હતા - 17 માર્ચ

દાંડીકૂચ વખતે ગાંધીજી ની ઉંમર લગભગ કેટલી હતી - 61 વર્ષ

દાંડીકૂચ દરમિયાન ગાંધીજી સાથે કઈ મહિલા જોડાઈ કે જેઓ પાછળથી ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ બની - સરોજની નાયડુ

ગાંધીજી એ દાંડી માર્ચની શરૂઆત કઈ તારીખે કરી હતી - 12 માર્ચ

ગાંધીજી અને સાથીઓ કઈ તારીખે દાંડી પહોંચી ગયા હતા - 5 એપ્રિલ 1930

ગાંધીજીએ મીઠાના કાયદાનું ભંગ કઈ તારીખે કર્યું - 6 એપ્રિલ 1930

ગાંધીજીએ પોતાની યાત્રામાં કુલ કેટલા દિવસ ચાલ્યા હતા - 24 દિવસ

ગાંધીજીએ દાંડીયાત્રા દરમિયાન કુલ કેટલા કિલોમીટર અંતર કાપ્યું - 385 KM.

સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ની દાંડીયાત્રા ને કોની સાથે સરખામણી કરી - નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિની ની રોમ માર્ચ

મહાદેવભાઈ દેસાઈ એ દાંડીકૂચને સરખામણી કોની સાથે કરી છે - મહાભિનિષ્ક્રમણ

મોતીલાલ નહેરુ દાંડીકૂચ ની સરખામણી કોની સાથે કરી - રામની લંકા પાર ચઢાઈ

સુરત માં મીઠાના કાયદાનો નીડરતાપૂર્વક ભંગ કોને કર્યું - કલ્યાણ જી મેહતા

ધરાસણા સત્યાગ્રહમાં મીઠાના કાયદાના ભંગ માટે કોને નેતૃત્વ કર્યું હતું - સરોજિની નાયડુ

દાંડીકૂચનાં અંતે બ્રિટિશ સરકારે ક્યાં ગામે થી ગાંધીજી ની ધરપકડ કરી હતી - કરાડી

ગાંધીજીની ધરપકડ પછી મીઠાના સત્યાગ્રહની જવાબદારી કોણ સાંભળે છે - અબ્બાસ તૈયબજી

અબ્બાસ તૈયબજી ની ધરપકડ પછી મીઠાના સત્યાગ્રહ નું નેતૃત્વ કોને કર્યું - સરોજિની નાયડુ

"મીઠા સત્યાગ્રહ સ્મારક" ક્યાં આવેલું છે - ધરાસણા

"દાંડી કુટિર" ક્યાં આવેલી છે - ગાંધીનગર

"કીર્તિ મંદિર" ક્યાં આવેલું છે - પોરબંદર

"દાંડી સ્મારક" ક્યાં આવેલું છે - દાંડી

માલાબાર કેરળમાં મીઠાનો સત્યાગ્રહ કોને કર્યો હતો - કે. કેલપને

"સરહદ ના ગાંધી" તરીકે કોણ ઓળખાય છે - ખાન અબ્દુલ ગફાર ખાન

દાંડી માર્ચ ક્યાં સત્યાગ્રહ નો ભાગ હતો - સવિનય અવજ્ઞા આંદોલન

ગાંધી મેમોરિયલ મ્યુઝીયમ ની સ્થપના ક્યારે કરવામાં આવી હતી - 1963


(નોંધ - ઉપર જણાવેલ માહિતી મોટા ભાગ ની સરકારી પરીક્ષાઓ માં ઉપયોગી છે જેની દરેક વિદ્યાર્થી એ નોંધ લેવી.)